યોગાભ્યાસના લાભો અને યોગ અંગેના સમાજમાં કેટલાક ભ્રામક ખ્યાલો કે ગેરસમજો :

યોગ રસાયનમાં એક શ્લોક છે...

सर्वेषां तु पदार्थानां अभ्यासकारणम् परम् |

अनभ्यासेन मर्त्यस्य प्राप्तो योगो अपि नश्यते ||

એટલે કે જાણવા યોગ્ય દરેક પદ, શાસ્ત્ર, ક્રિયા, વિજ્ઞાન વગેરેમાં અભ્યાસ શ્રેષ્ઠ કારણ બની શકે. અનાભ્યાસથી પ્રાપ્ત થયેલ યોગનો પણ અમુક સમયે નાશ થાય છે.

હઠયોગ પ્રદીપિકા પણ આવું જ કહે છે....

अभ्यासात् सिद्धिम् आप्नोति सर्वयोगेषु अतन्द्रित: ||

એટલે કે આળસનો ત્યાગ તેમજ અભ્યાસ જ યોગમાં સિદ્ધિદાયક છે.

આ શ્લોકો અહિયાં ટપકે છે એનું કારણ ખાલી એટલું કે પુરતા અને નિયમીત અભ્યાસ વગર કશું જ શક્ય થઇ શકે નહિ. અંગ્રેજીમાં પણ કહેવત છે ને , ‘Practice makes a man perfect .’

આપણે બધાં ખુશી ખુશી મોટા ઉપાડે યોગ દિનની ઉજવણીમાં તો જોડાય રહ્યા છીએ પરંતુ આપણો આ યોગ નિયમીત જળવાયેલો રહે તો જ કશુંક મેળવ્યુ તેમ કહેવાય. ફક્ત આરંભે શૂરાહોવું યોગ્ય નથી અને બરાબર પણ નથી. આ નિયમીત જળવાયેલા યોગમાં જ ભગવાન પતંજલિ ખુશ થાય છે અને આપણે ખુશ થઈએ અને સર્વ લોકો ખુશ થાય.







v  યોગાભ્યાસના લાભો :

                                યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે. તેથી તેને દુનિયાભરમાં વૈજ્ઞાનિક સ્વીકૃતિ અને આવકાર મળ્યા છે. સંયુક્ત રાષ્ટ્રોની વિશ્વ-આરોગ્ય સંસ્થા (WHO)એ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે આપણા યોગના શાસ્ત્રને તથા પ્રશિક્ષણ પર ભાર મૂક્યો છે.

  1. યોગનો દરરોજ અભ્યાસ કરવાથી બુદ્ધિનો ખુબ વિકાસ થાય છે.
  2. વિદ્યાભ્યાસની સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી આપણુ શરીર સ્વચ્છ અને તેમજ નિરોગી બને છે. યોગ એ આંતરિક આપણા આત્માની અનુભૂતિનો વિષય છે.
  3. યોગાભ્યાસ દ્વારા યમ-નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં શ્રદ્ધા, સાધના, સેવા, નમ્રતા, શિસ્ત,  સાદગી, સંકલ્પશક્તિ વગેરે સારા ગુણોનો સારો વિકાસ થાય છે.
  4. પ્રાણાયામથી પ્રાણ બળવાન બનાવી શકાય છે.
  5. જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર અતિ મહત્વનું માધ્યમ છે.  તે ચેતાતંત્રની કાર્યક્ષમતાનો બધો જ આધાર કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા પર રહેલ છે. યોગા આસનો કરવાથી કરોડરજ્જુની સ્થિતિસ્થાપકમાં વધારો થાય છે.
  6. જ્ઞાનપ્રાપ્તિ માટે વિદ્યાર્થીએ તેમા ચંચળ મનને એકાગ્ર અને શાંત બનાવવું પડે. મનની એકાગ્રતા માટે રોજ આપણે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનથી આપણને નિજાનંદની અનુભુતિ પણ સારીરીતે થાય છે.
  7. આજના સમયમાં ભૌતિક વસ્તુઓ પાછળની વિચાર કર્યા વગર સમજણ વિનાની દોડને કારણે શારીરિક બિમારીઓ અને માનસિક યાતનાઓ ખુબ વધી છે. આ બધી વિકારયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો આપણા માટેનો રાજમાર્ગ એક માત્ર યોગ છે.

v  યોગ અંગેના સમાજમાં કેટલાક ભ્રામક ખ્યાલો કે ગેરસમજો :

  1.       યોગ એ અલૌકિક વિષય છે.
  2.       યોગ એટલે માત્ર આસન અને પ્રાણાયમ જ છે.
  3.       યોગ એટલે એક પ્રકારની કસરત.
  4.       યોગ સામાન્ય લોકો માટે નહિ, પરંતુ સાધુસંતો માટે જ   છે.
  5.      યોગ એક ચમત્કારનો ભાગ છે.
  6.       યોગ એટલે કેવળ ચિકિત્સા-પદ્ધતિ છે.
  7.       યોગ એ વાચન-પ્રવચનનો માત્ર વિષય છે.
  8.       યોગ એ ધાર્મિક-સાંપ્રદાયિક વિષય છે.
  9.       યોગ સુંદરતા માટે કરવામાં આવે છે.     

 

 

 


Post a Comment

Previous Post Next Post